Savji Dholakia: ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાની અનોખી પહેલ, 100 વૃક્ષ વાવનાર કર્મીને ₹1 લાખ; વૃક્ષારોપણ માટે ₹10 કરોડનું ફંડ જાહેર
પર્યાવરણ સુરક્ષા અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ એક અનોખી પહેલ કરી છે. તેમણે અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં 10 કરોડ રૂપિયાના ભંડોળ સાથે એક વિશાળ વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરી છે.