Shravan Month 2025: શ્રાવણ મહિનો ક્યારે શરૂ થશે? કેટલા શ્રાવણ સોમવાર આવશે? નોંધી લો તારીખ

આ લેખમાં જાણો, આ વખતે શ્રાવણ મહિનો ક્યારે શરૂ થવાનો છે અને આ વર્ષે કેટલા શ્રાવણ સોમવાર આવવાના છે.

Follow Us:

Shravan Month 2025 Start Date And End Date | શ્રાવણ મહિનો 2025: હિન્દુ કેલેન્ડર અનુસાર હાલમાં અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને ત્યારબાદ જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણ મહિનો ભગવાન શિવને અતિપ્રિય છે. આ મહિને શિવભક્તો ભક્તિભાવપૂર્વક પૂજા-પાઠ, જાપ અને ઉપવાસ કરે છે. ખાસ કરીને સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે. શ્રાવણ સોમવારે ઉપવાસ રાખવાથી અને “ॐ નમઃ શિવાય” મંત્રના જાપથી મનચિત્ત ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળે છે. ત્યારે આ લેખમાં જાણો, આ વખતે શ્રાવણ મહિનો ક્યારે શરૂ થવાનો છે અને આ વર્ષે કેટલા શ્રાવણ સોમવાર આવવાના છે.

શ્રાવણ મહિનો 2025 ક્યારે શરૂ થશે?

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પવિત્ર અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2025માં શ્રાવણ માસ 11 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આ મહિને આવનારો પહેલો શ્રાવણ સોમવાર 14 જુલાઈએ આવશે.

શ્રાવણના સોમવારે શિવભક્તો ભગવાન ભોલેનાથની ઉપાસના કરે છે, શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરે છે અને ઉપવાસ રાખે છે. સોમવાર ભગવાન શિવ તેમજ માતા પાર્વતીને સમર્પિત હોવાથી એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિપૂર્વક પૂજા-અર્ચના કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શ્રાવણ સોમવારનું વ્રત રાખવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે.

શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ક્યારે છે?

હિન્દુ કેલેન્ડર મુજબ, શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર 14 જુલાઈએ છે જ્યારે છેલ્લો સોમવાર 4 ઓગસ્ટના રોજ છે. આ વર્ષે શ્રાવણ સોમવાર ચાર આવશે. જાણો, દરેક શ્રાવણ સોમવારની તારીખ-

શ્રાવણ સોમવાર 2025ની તારીખ

પ્રથમ શ્રાવણ સોમવાર – 14 જુલાઈ
બીજો શ્રાવણ સોમવાર – 21 જુલાઈ
ત્રીજો શ્રાવણ સોમવાર – 28 જુલાઈ
ચોથો શ્રાવણ સોમવાર – 4 ઓગસ્ટ

શ્રાવણ મહિનાનું મહત્વ

શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ અત્યંત પાવન અને લાભદાયી ગણાય છે. એવું માનવામાં આવે છે કે આ મહિને ખાસ કરીને સોમવારે ભક્તિપૂર્વક ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાથી ભક્તનું ભાગ્ય ચમકે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

શ્રદ્ધાપૂર્વક શિવ ઉપાસનાથી ભગવાન શંકરની ઘણી કૃપા મળે છે, જેનાથી ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીનો વાસ થાય છે. આ માસ દરમિયાન કરવામાં આવેલી શિવ પૂજા દુઃખો અને દોષોને દૂર કરતી હોય છે અને ભક્તોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.