Raksha Bandhan 2025 Date and Time: ગુજરાત સહિત દેશભરમાં 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને ભદ્રાકાળની સ્થિતિ

ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમા પવિત્ર તહેવાર રક્ષાબંધન આ વર્ષે 9 ઓગસ્ટ, 2025 ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે.

Follow Us:

Raksha Bandhan 2025 Date and Time | રક્ષાબંધન તારીખ 2025: ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમા પવિત્ર તહેવાર રક્ષાબંધન આ વર્ષે 9 ઓગસ્ટ, 2025 ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધી તેમના લાંબા આયુષ્ય અને સુખાકારીની પ્રાર્થના કરશે, જ્યારે ભાઈઓ આજીવન બહેનોનું રક્ષણ કરવાનું વચન આપશે.

રક્ષાબંધન 2025: શુભ મુહૂર્ત અને ભદ્રાકાળ (Rakshabandhan 2025 Shubh Muhurat)

આ વર્ષે રક્ષાબંધનના પાવન પર્વ પર ભદ્રાકાળનો કોઈ પ્રભાવ રહેશે નહીં, જે એક શુભ સંકેત છે. ભદ્રાકાળ 8 ઓગસ્ટના રોજ બપોરે 2:12 વાગ્યાથી શરૂ થઈને 9 ઓગસ્ટના રોજ વહેલી સવારે 1:52 વાગ્યે સમાપ્ત થઈ જશે.

રક્ષાબંધન માટેનું શુભ મુહૂર્ત સવારે 5:35 વાગ્યાથી બપોરે 1:24 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકે છે. વધુમાં, અભિજિત મુહૂર્ત બપોરે 12:00 વાગ્યાથી 12:53 વાગ્યા સુધી રહેશે, જે કોઈપણ શુભ કાર્ય માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તહેવારનું પરંપરાગત અને ઐતિહાસિક મહત્વ (Rakshabandhan 2025 Bhadrakal)

રક્ષાબંધન એ માત્ર એક તહેવાર નથી, પરંતુ ભાઈ અને બહેન વચ્ચેના સંબંધમાં પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના વચનોનું પ્રતીક છે. રાખડી બાંધ્યા બાદ ભાઈઓ પોતાની બહેનોને ભેટ અને પૈસા આપી આશીર્વાદ મેળવે છે. આ દિવસ ભાઈ અને બહેન બંને માટે અત્યંત ખાસ અને યાદગાર બની રહે છે.

રક્ષાબંધન 2025: રાખડી બાંધવાની શાસ્ત્રોક્ત વિધિ

રક્ષાબંધનના પાવન દિવસે બહેનો વહેલા ઉઠીને સ્નાન કરે છે અને શ્રદ્ધા સાથે રાખડી બાંધવાની તૈયારીઓ કરે છે. ખાસ થાળી તૈયાર કરવામાં આવે છે, જેમાં રાખડી, રોળી (કુંમકું), અક્ષત (ચોખા), મીઠાઈ અને દીવો હોય છે.

વિધિ અનુસાર, બહેન પહેલા ભાઈના કપાળ પર તિલક કરે છે, પછી તેની આરતી ઉતારે છે અને અંતે પ્રેમભેર તેના કાંડા પર રાખડી બાંધે છે. આ પ્રતીકાત્મક ક્રિયાઓ ભાઈ-બહેનના સ્નેહ, શ્રદ્ધા અને રક્ષણના બંધનને વધુ મજબૂત બનાવે છે.

રાખડી બાંધતી વખતે શાસ્ત્રોમાં નિર્દિષ્ટ એક વિશેષ રક્ષા મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. આ મંત્ર ભાઈના આયુષ્ય, આરોગ્ય અને કલ્યાણ માટે શુભફળદાયક માનવામાં આવે છે.

રક્ષાબંધન રક્ષા મંત્ર: येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः। तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल।।

રક્ષાબંધન 2025: મહત્વ અને પરંપરા

રક્ષાબંધન માત્ર એક તહેવાર નહીં, પરંતુ, ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને રક્ષણની સંસ્કૃતિમય પરંપરાનું પ્રતીક છે. આ પાવન દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, તિલક કરે છે અને તેમના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. બદલામાં, ભાઈઓ બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમને રક્ષાનું વચન આપે છે.

રક્ષાબંધનની શરૂઆત પ્રાચીન કાળથી જોવા મળે છે. પુરાણોમાં વર્ણવેલા એક પ્રસંગ અનુસાર, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની આંગળીમાંથી લોહી નીકળ્યું ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો ટુકડો ફાડી તેમના ઘા પર બાંધ્યો. તેના બદલામાં શ્રીકૃષ્ણે જીવનભર દ્રૌપદીની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી.

આ રીતે રક્ષાબંધન લોહી દ્વારા જોડાયેલા સંબંધો સુધી મર્યાદિત નથી; તે મિત્રતા, પ્રેમ અને સમાજમાં એકતાના અદ્ભુત ભાવના સાથે જોડાયેલું એક પવિત્ર બંધન છે.