Ganesh Chaturthi 2025 Date: ગણેશ ચતુર્થી ક્યારે છે? જાણો ગણપતિ બાપ્પાની સ્થાપનાનો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવાતો ગણેશ ઉત્સવ આ વર્ષે 27 ઓગસ્ટ, 2025 ના રોજ ગણેશ ચતુર્થીથી પ્રારંભ થશે.

Follow Us:

Ganesh Chaturthi 2025 Date and Time: સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવાતો ગણેશ ઉત્સવ આ વર્ષે 27 ઓગસ્ટ, 2025 ના રોજ ગણેશ ચતુર્થીથી પ્રારંભ થશે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ તહેવારની અનેરી રોનક જોવા મળે છે, જ્યાં શેરીઓ અને મહોલ્લાઓ ગણેશ મૂર્તિઓથી સુશોભિત પંડાલથી શોભી ઉઠે છે. ભક્તો ગણપતિ બાપ્પાની મૂર્તિને ઘરે લાવીને વિધિ-વિધાન સાથે સ્થાપિત કરશે અને 10 દિવસ સુધી તેમની આરાધના કરશે, જે બાદ અનંત ચતુર્દશીએ તેમનું વિસર્જન કરવામાં આવશે.

ગણેશ ચતુર્થી 2025: તિથિ અને શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 26 ઓગસ્ટ, 2025 ના રોજ બપોરે 1:54 વાગ્યે શરૂ થશે અને 27 ઓગસ્ટ, 2025 ના રોજ બપોરે 3:44 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિને આધારે, 27 ઓગસ્ટ, 2025 ના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે.

ગણેશ પૂજા શુભ મુહૂર્ત: 27 ઓગસ્ટ, 2025 ના રોજ સવારે 11:05 થી બપોરે 01:40 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન ભક્તો વિધિવત પૂજા કરીને ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરી શકશે.

પંચાંગ

  • સૂર્યોદય: સવારે 05:57
  • સૂર્યાસ્ત: સાંજે 06:48
  • ચંદ્રોદય: સવારે 09:28
  • ચંદ્રાસ્ત: રાત્રે 08:56
  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:28 થી 05:12
  • વિજયા મુહૂર્ત: બપોરે 02:31 થી 03:22
  • સંધિકાળ મુહૂર્ત: સાંજે 06:48 થી 07:10
  • નિશિતા મુહૂર્ત: રાત્રે 12:45 થી 12:45 (મધ્યરાત્રિ)

ગણેશ વિસર્જન 2025

આ વર્ષે ગણેશ વિસર્જન 6 સપ્ટેમ્બર, 2025, શનિવારે અનંત ચતુર્દશીના રોજ થશે.

ગણેશ ચતુર્થી વ્રત

ગણેશ ચતુર્થીના દિવસે વ્રત રાખવા માટે, સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ, હાથમાં પાણી અને ચોખા લઈને ભગવાન ગણેશનું ધ્યાન ધરી ઉપવાસનું વ્રત લેવું.

ગણેશ ચતુર્થી પૂજા વિધિ

  • એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરી તેના પર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી.
  • ગણેશજીને ગંગાજળથી સ્નાન કરાવી, કપાળ પર ચંદનનું તિલક અને ચોખા લગાવવા.
  • ત્યારબાદ ફૂલો અને દૂર્વા અર્પણ કરવા.
  • ભગવાનને મોદકનો ભોગ અર્પણ કરવો.
  • જો મોદક ઉપલબ્ધ ન હોય તો કોઈપણ મીઠાઈ અર્પણ કરી શકાય છે.
  • દિવસભર ફળાહાર કરીને ભગવાન ગણેશનું ધ્યાન ધરવું અને સાંજે આરતી કરવી.
  • પૂજામાં ફક્ત ઘીનો દીવો પ્રગટાવવાનું યાદ રાખવું.
  • પૂજા બાદ ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું.