Tatkal Ticket: રેલવેનો મહત્વનો નિર્ણય! 1 જુલાઈ, 2025 થી તત્કાલ ટિકિટ માટે આધાર ફરજિયાત

રેલવે મંત્રાલય દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે 1 જુલાઈ, 2025 થી ફક્ત આધાર વેરિફાય (Aadhaar verified) યૂઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે.

Published By:

Follow Us:

New Tatkal Ticket Booking Rules 2025: રેલવે મંત્રાલય દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે 1 જુલાઈ, 2025 થી ફક્ત આધાર વેરિફાય (Aadhaar verified) યૂઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે. આ નિર્ણય 10 જૂન, 2025 ના રોજ બહાર પાડવામાં આવેલા એક પરિપત્ર દ્વારા તમામ ઝોનલ રેલવેને જાણ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ તત્કાલ યોજનાનો લાભ સામાન્ય અને જરૂરિયાતમંદ મુસાફરો સુધી પહોંચાડવાનો છે.

1 જુલાઈથી આધાર ફરજિયાત, 15 જુલાઈથી OTP વેરિફિકેશન

રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 1 જુલાઈ, 2025 થી, ભારતીય રેલવે કેટરિંગ અને પર્યટન નિગમ (IRCTC) ની વેબસાઇટ કે એપ્લિકેશન દ્વારા તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે આધાર વેરિફિકેશન અનિવાર્ય બનશે. આના પછી, 15 જુલાઈ, 2025 થી, તત્કાલ બુકિંગ માટે આધાર આધારિત OTP (વન ટાઈમ પાસવર્ડ) વેરિફિકેશન પણ ફરજિયાત કરવામાં આવશે.

મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે “સિસ્ટમ-જનરેટેડ OTP ની ચકાસણી પછી જ તત્કાલ ટિકિટ ભારતીય રેલવેના કોમ્પ્યુટરાઇઝ્ડ PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) કાઉન્ટર અથવા અધિકૃત એજન્ટો દ્વારા બુક કરી શકાશે.” આ OTP બુકિંગ સમયે યૂઝર્સ દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. આ વ્યવસ્થા પણ 15 જુલાઈ, 2025 સુધીમાં લાગુ કરી દેવામાં આવશે.

એજન્ટો માટે નિયંત્રણો

આ નવા નિયમો હેઠળ, ભારતીય રેલવેના અધિકૃત ટિકિટિંગ એજન્ટો માટે પણ મહત્વના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. તેમને તત્કાલ બુકિંગ વિન્ડોની પ્રથમ 30 મિનિટ દરમિયાન તત્કાલ ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે, તેઓ સવારે 10:00 થી 10:30 વાગ્યા સુધી AC ક્લાસ અને સવારે 11:00 થી 11:30 વાગ્યા સુધી નોન-AC ક્લાસ માટે તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં. આ પગલું એ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે કે સામાન્ય મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં પ્રાથમિકતા મળે.

રેલવે મંત્રાલયે સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) અને IRCTC ને સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવા અને આ ફેરફારો વિશે તમામ ઝોનલ રેલવેને જાણ કરવા નિર્દેશ આપ્યો છે. વધુમાં, રેલવેએ ખાતરી આપી છે કે આ ફેરફારો વિશે સામાન્ય જનતાને જાણ કરવા માટે ઉપલબ્ધ તમામ માધ્યમો દ્વારા વ્યાપકપણે પ્રચાર કરવામાં આવશે.

તત્કાલ ટિકિટ માટે આધાર ઓથેન્ટિકેશન કેવી રીતે કરવું?

  • IRCTC એકાઉન્ટમાં લોગિન કરો.
  • હવે “My Profile” વિભાગમાં જાઓ અને “Aadhaar ઓથેન્ટિકેશન” વિકલ્પ પસંદ કરો.
  • તમારો આધાર નંબર દાખલ કરો અને OTP દ્વારા ઓથેન્ટિકેશન પૂર્ણ કરો.
  • કન્ફર્મેશન વેરિફિકેશન પછી, તમારું એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ જશે, જેનાથી તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો.

IRCTC પોર્ટલ પરથી Tatkal ટિકિટ કેવી રીતે બુક કરવી

  • સૌ પ્રથમ IRCTC વેબસાઇટ (irctc.co.in) પર જાઓ અને લોગિન કરો.
  • હવે મુસાફરીની તારીખ, સ્ટેશન (From – To) અને ક્લાસ પસંદ કરો.
  • હવે Quotaમાં Tatkal વિકલ્પ પસંદ કરો.
  • પછી ટ્રેન સૂચિમાંથી કોઈપણ ટ્રેન અને ક્લાસ પસંદ કરો અને બુક નાઉ બટન પર ક્લિક કરો.
  • હવે મુસાફરનું નામ, ઉંમર, લિંગ, સીટ પસંદગી અને મોબાઇલ નંબર જેવી સંપૂર્ણ માહિતી ભરો અને કેપ્ચા કોડ દાખલ કરો અને Continue પર ક્લિક કરો.
  • આ પછી, તમે પેમેન્ટ ઓપ્શન પસંદ કરો છો અને પે એન્ડ બુક પર ક્લિક કરીને ટિકિટ બુક કરો.
  • બુકિંગ કર્યા પછી, તમને SMS દ્વારા ટિકિટ કન્ફર્મેશન વિશે માહિતી મળશે.
  • એસી ક્લાસ માટે સવારે 10:00 વાગ્યે અને નોન-એસી ક્લાસ માટે સવારે 11:00 વાગ્યે ટ્રેન ટિકિટ બુક કરી શકાય છે.
  • બુકિંગ મુસાફરીની તારીખના એક દિવસ પહેલા કરવામાં આવે છે, જેમ કે જો મુસાફરી 15 તારીખે હોય, તો તત્કાલ બુકિંગ 14 તારીખે ખુલશે.