Operation Sindoor: ભારતે પાકિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, અનેક આતંકવાદી અડ્ડાઓ ધ્વસ્ત; 30 આતંકી ઠાર

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના માત્ર 15 દિવસની અંદર જ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

Published By:

Updated:

Follow Us:

Operation Sindoor: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના માત્ર 15 દિવસની અંદર જ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય વાયુસેનાએ બુધવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં આશરે 30 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હવાઈ હુમલા બહાવલપુર, મુરીદકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં કરવામાં આવ્યા હતા. આ એ જ વિસ્તારો છે જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓનું સંચાલન થતું હતું. સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર, આ હુમલામાં લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા ખતરનાક આતંકવાદી સંગઠનોના મુખ્યાલયોને ભારે નુકસાન પહોંચ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં 24 મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાતભર ઓપરેશન સિંદૂર પર સતત નજર રાખી રહ્યા હતા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તેમને પળેપળની માહિતી આપી રહ્યા હતા.

ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી છે કે, આ કાર્યવાહીમાં પાકિસ્તાનના કોઈપણ લશ્કરી મથકને નિશાન બનાવવામાં આવ્યું નથી. આ હુમલા ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓ પર જ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ ANIને એમ પણ જણાવ્યું હતું કે, આ એક સંયુક્ત લશ્કરી કાર્યવાહી હતી જેમાં ભારતીય સેના અને વાયુસેનાએ સાથે મળીને અત્યાધુનિક પ્રિસિઝન સ્ટ્રાઈક હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi