Anant Ambaniની દ્વારકા સુધી પદયાત્રા, 30મો જન્મદિવસ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરીમાં ઉજવશે

Anant Ambani Padyatra: અનંત અંબાણી તેમના 30મા જન્મદિવસ પહેલા ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરી દ્વારકાની પદયાત્રા પર નીકળ્યા છે.

Follow Us:

Anant Ambani Padyatra

Anant Ambani Padyatra: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) તેમના 30મા જન્મદિવસ પહેલા ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરી દ્વારકાની પદયાત્રા પર નીકળ્યા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેમના 30મા જન્મદિવસ પહેલા ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરી દ્વારકાની પદયાત્રા પર નીકળ્યા છે. અનંતે 27 માર્ચ, 2025ના રોજ જામનગરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટાઉનશીપથી પોતાની યાત્રાની શરૂઆત કરી હતી અને અત્યાર સુધી 24 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે.

અનંતની આ 141 કિલોમીટરની પદયાત્રા 12-13 દિવસમાં પૂર્ણ થવાની સંભાવના છે. તેઓ ઝેડ-પ્લસ સુરક્ષા સાથે દરરોજ 12-15 કિલોમીટરનું ચાલે છે. 8 એપ્રિલ, 2025ના રોજ દ્વારકા પહોંચીને, 10 એપ્રિલે દ્વારકાધીશના દર્શન કરીને પોતાનો 30મો જન્મદિવસ ઉજવશે.

પ્રતિદિનની યાત્રાના અંતે અનંત રિલાયન્સ ટાઉનશીપ પાછા ફરે છે અને બીજા દિવસે ફરી તે જ સ્થળેથી આગળનું અંતર કાપે છે. પહેલા દિવસે તેમણે રિલાયન્સ ટાઉનશીપથી હોટેલ શ્યામ-વે સુધી પદયાત્રા કરી, જ્યારે બીજા દિવસે સવારે 3:30 વાગ્યે પ્રસ્થાન કરીને 8:00 વાગ્યે ખંભાળિયા પહોંચ્યા.

અમારી ગુજ્જુ ભૂમિ વોટ્સએપ ચેનલને ફોલો કરો

Gujju Bhoomi

આ પણ વાંચો

અમારી ગુજ્જુ ભૂમિ વોટ્સએપ ચેનલને ફોલો કરો

Gujju Bhoomi