Ahmedabad Fire: અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ: ચોથા માળેથી કૂદેલી મહિલાનું મૃત્યુ, 27નું રેસ્ક્યૂ, 4 સારવાર હેઠળ

Ahmedabad Fire News: અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આવેલા ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવારે, 29 એપ્રિલ 2025ના રોજ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાતા દોડધામ મચી ગઈ હતી. આગમાંથી બચવા 52 વર્ષીય વિનીતા રામચંદાની ચોથા માળેથી કૂદી ગઈ હતી, જેને ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર દરમિયાન 30 એપ્રિલ 2025ના રોજ અસારવા સિવિલ ... Read more

Follow Us:

Orchid Apartment in Ahmedabad

Ahmedabad Fire News: અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આવેલા ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવારે, 29 એપ્રિલ 2025ના રોજ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાતા દોડધામ મચી ગઈ હતી. આગમાંથી બચવા 52 વર્ષીય વિનીતા રામચંદાની ચોથા માળેથી કૂદી ગઈ હતી, જેને ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર દરમિયાન 30 એપ્રિલ 2025ના રોજ અસારવા સિવિલ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું છે.

આગની ઘટના અને રેસ્ક્યૂ

આગની શરૂઆત ચોથા માળના ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ હતી, જેના કારણે ગાઢ ધુમાડો દૂરથી દેખાતો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

અમદાવાદ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સર્વિસની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. કુલ 27 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. જોકે, બહુમાળી બચાવ સાધનોના અભાવે રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જેને લઈને રહેવાસીઓએ ફાયર વિભાગની ટીકા કરી હતી.

ઇજાગ્રસ્તોની સ્થિતિ

આ ઘટનામાં કુલ પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. વિનીતા રામચંદાનીનું મૃત્યુ થયું, જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તો હજુ સારવાર હેઠળ છે. ઇજાગ્રસ્તોમાં એક વ્યક્તિને પગમાં દાઝવાની ઇજા થઈ છે, જ્યારે ત્રણ મહિલાઓમાંથી એકની હાલત ગંભીર છે અને તેને વેન્ટિલેટર પર રખાઈ છે. અન્ય બેની હાલત સ્થિર છે. 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને એપોલો હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ફાયર ફાઇટરોને પહોંચી ઇજા

બચાવ કામગીરી દરમિયાન તીવ્ર ગરમી અને આગના ઝબકારાને કારણે 11 ફાયર ફાઇટરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. તેમ છતાં, તેમણે પરિસ્થિતિને કાબૂમાં લાવવા સતત પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

તપાસ અને આગનું કારણ

આગનું ચોક્કસ કારણ જાણવા અને બિલ્ડિંગની સલામતી વ્યવસ્થા તેમજ ઇમરજન્સી સિસ્ટમમાં કોઈ ખામી હતી કે કેમ તેની તપાસ હાલ ચાલુ છે. ઊંચું તાપમાન અને આગની તીવ્રતાએ બચાવ અને આગ બુઝાવવાની કામગીરીને વધુ જટિલ બનાવી દીધી હતી.