Rule Changes: આજથી ATM, રેલવે સહિત આ 5 નિયમોમાં થયો મોટો ફેરફાર! જાણો વિગતવાર

Rule Changes from May 1: આજથી એટલે કે 1 મે, 2025 થી તમારા ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરે તેવા પાંચ મહત્વપૂર્ણ નિયમો બદલાયા છે. ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો આજે બદલાયેલા પાંચેય નિયમો વિશે વિગતવાર…

Published By:

Updated:

Follow Us:

Rule Changes from May 1: આજથી એટલે કે 1 મે, 2025 થી તમારા ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરે તેવા પાંચ મહત્વપૂર્ણ નિયમો બદલાયા છે. એક તરફ જ્યાં ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થયા છે, તો બીજી તરફ ઘરેલુ રાંધણ ગેસ (LPG)ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે ગુજ્જુ ભૂમિના આ લેખમાં જાણો આજે બદલાયેલા પાંચેય નિયમો વિશે વિગતવાર…

ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં

ગેસ પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ભાવની સમીક્ષા કરે છે, પરંતુ આ વખતે ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, આજે દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર ₹853, કોલકાતામાં ₹879, મુંબઈમાં ₹852.50 અને ચેન્નાઈમાં ₹868.50માં ઉપલબ્ધ રહેશે. ઘરેલુ LPG ગેસના ભાવમાં છેલ્લો ફેરફાર 8 એપ્રિલે થયો હતો, જ્યારે 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો કરવામાં આવ્યો હતો.

ATMમાંથી પૈસા ઉપાડવા થયા મોંઘા

આજથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ ગયા છે. હવે ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ ક્રોસ કરવા પર તમારે વધુ ચાર્જ ચૂકવવો પડશે. મેટ્રો શહેરોમાં દર મહિને 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો શહેરોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે. ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર બેંક દ્વારા ₹23 સુધીનો ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, ATMમાંથી એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા માટે પણ ₹7 ચૂકવવા પડશે, જે પહેલાં ₹6 હતા.

રેલવેમાં વેઇટિંગ ટિકિટના નિયમો બદલાયા

રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે વેઇટિંગ લિસ્ટવાળી ટિકિટ ફક્ત જનરલ કોચ માટે જ માન્ય રહેશે. જો તમારી પાસે વેઇટિંગ ટિકિટ હશે તો તમે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકશો નહીં. જો ટીટી તમને સ્લીપર કોચમાં પકડશે તો તમારે જનરલ કોચમાં જવું પડશે અથવા દંડ ભરવો પડી શકે છે.

પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું વિલીનીકરણ

દેશભરમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB)ની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આજથી 43 RRBને મર્જ કરીને 28 કરવામાં આવશે. સરકારે “એક રાજ્ય, એક RRB”ની નીતિ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓ પર અસર કરી શકે છે.

FD અને બચત ખાતાઓના વ્યાજ દરમાં ફેરફાર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા તાજેતરમાં રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ ઘણી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને બચત ખાતાઓના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આજથી આ દરોમાં વધુ ફેરફારો જોવા મળી શકે છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi