Bharathana Toll Plaza in Gujarat: વડોદરા-સુરત હાઈવે (નેશનલ હાઈવે 48) પર આવેલ ભરથાણા ટોલ પ્લાઝા (Bharathana Toll Plaza)ના ટોલ ટેક્સમાં વધારો થવાનો છે. આ સુધારેલા દર 1 એપ્રિલની મધ્યરાત્રિથી લાગુ થશે, જેના કારણે વડોદરાથી સુરત વચ્ચે પ્રવાસ કરતા વાહનચાલકોને વધુ ટોલ ચાર્જ ચૂકવવો પડશે.
ભરથાણા ટોલ પ્લાઝાના નવા ટોલ દરો (1 એપ્રિલથી લાગુ)
1 એપ્રિલથી ભરથાણા ટોલ પ્લાઝા પર વાહન પ્રકાર અનુસાર ટોલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. નીચેની ટેબલમાં નવા દરો દર્શાવવામાં આવ્યા છે:

આ નવા ટોલ દરો 1 એપ્રિલની મધ્યરાત્રિથી અમલમાં આવશે, જેને કારણે મુસાફરી વધુ મોંઘી બનશે.
વિશેષ રૂટના વાહનચાલકો માટે રાહત
ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિ.મી.ની રેન્જમાં રહેતા અને બિન-વાણિજ્યિક હેતુ માટે નોંધાયેલ યાંત્રિક વાહન ધરાવતા લોકો માટે માસિક પાસની ખાસ સગવડ આપવામાં આવી છે. માસિક પાસ માટે ₹350નો દર નક્કી કરવામાં આવ્યો છે, જે ભરથાણા ટોલ પ્લાઝાની વહીવટી કચેરીમાંથી મેળવી શકાય છે.
ભારતમાં સૌથી વધુ કમાણી કરતો ટોલ પ્લાઝા
ગયા વર્ષ 2023-24 દરમિયાન, ભરથાણા ટોલ પ્લાઝાએ ભારતભરમાં સૌથી વધુ આવક નોંધાવી હતી. યુઝર્સ ફી રૂપે ટોલ પ્લાઝાએ કુલ ₹472.65 કરોડની કમાણી કરી હતી.
