GSRTC Hikes Bus Fares: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા બસ ભાડામાં 10%નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે 29 માર્ચ 2025 ના મધ્યરાત્રિથી અમલમાં આવી ગયું છે. આ વધારો રાજ્યભરના 27 લાખ મુસાફરોને અસર કરશે.
GSRTCના સત્તાવાર પ્રેસ નિવેદન અનુસાર, નિગમને ભાડા સુધારા માટે અધિકૃત કરવામાં આવ્યો છે. 2014 પછી 2023 માં ભાડામાં 68% વધારો થવાનો હતો, પરંતુ મુસાફરો પર ભાર ઘટાડવા માટે, તેને તબક્કાવાર લાગુ કરવામાં આવ્યો. 1 ઓગસ્ટ 2023એ 25% વધારો કરવામાં આવ્યો હતો. નિગમની સેવાઓને વધુ મજબૂત અને સુવિધાજનક બનાવવા માટે, હવે 10%નો વધારાનો અમલ કરવામાં આવ્યો છે.
પ્રેસ નોટ અનુસાર, સ્થાનિક સેવાના 85% મુસાફરો (દૈનિક આશરે 10 લાખ) 48 કિમી સુધીની મુસાફરી કરે છે. આ મુસાફરો માટે ભાડા વધારો ફક્ત 1થી 4 રૂપિયા સુધીનો રહેશે, જેથી તેમના પર અસર ઓછી થાય. GSRTC દરરોજ 8,000 થી વધુ બસો દ્વારા 32 લાખ કિમીનું સંચાલન કરે છે અને 27 લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે.