રાજુલા પાસે ગમખ્વાર ત્રિપલ અકસ્માત: ST બસ, કાર અને બાઇકની ટક્કરમાં વડોદરાના પાદરાના 3 લોકોના મોત

અમરેલી-ભાવનગર-સોમનાથ હાઈવે પર હિંડોરણા રોડ નજીક ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં. ST બસ, કાર અને બાઇક અથડાઈ હતી. મૃતકો વડોદરાના પાદરાના રહેવાસી હતા અને દીવથી આવી રહ્યા હતા.

Published By:

Updated:

Follow Us:

Rajula Accident: અમરેલી-ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલા નજીક હિંડોરણા રોડ પાસે મીરા દાતાર પાસે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. રાજુલા-જાફરાબાદ રૂટની ST બસ સાથે એક સ્વિફ્ટ કાર અને બાઇક અથડાતાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. મૃતકો વડોદરાના પાદરાના રહેવાસી હતા અને દીવ તરફથી આવી રહ્યા હતા.

આ અકસ્માતમાં બાઇકચાલકને પણ ઈજા પહોંચી છે, તેની બાઇક ST બસની પાછળ ઘૂસી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, રોંગ સાઈડથી આવતી સ્વિફ્ટ કાર ST બસની સાઈડમાં આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની જાણ થતાં જ રાજુલા પોલીસ અને ST ડેપોના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતમાં મારુતિ સ્વિફ્ટ કારનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. હાઈવે પર વાહનચાલકોની સલામતી માટે વધુ પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. હાલમાં પોલીસ આ અકસ્માતની વધુ તપાસ કરી રહી છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi