India Pakistan Ceasefire Agreement: ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધવિરામ છે. આ અંગે માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, આજે બપોરે 3.35 વાગ્યે બંને દેશોના ડીજીએમઓ (DGMO) વચ્ચે વાતચીત થઈ હતી. આમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આજે સાંજે 5 વાગ્યાથી બંને દેશો હવા, પાણી અને જમીન પર હુમલા તાત્કાલિક બંધ કરશે. આ સાથે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો છે. મિશ્રીએ કહ્યું કે 12 મેના રોજ બંને દેશોના અધિકારીઓ ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરશે.
આ સમયમાં બધા લોકો એક જ શબ્દની ચર્ચા કરી રહ્યા છે – સીઝફાયર. તો આ સીઝફાયર (Ceasefire) શું છે અને જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ત્યારે તે કેવી રીતે કામ કરે છે? ચાલો આ લેખમાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.
સીઝફાયર એટલે શું?
ભારત અને પાકિસ્તાનની અત્યારની પરિસ્થિતિને જોતા, સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. ખરેખર તો, સીઝફાયરનો સીધો અર્થ એ છે કે બે દેશો વચ્ચેની લડાઈ હવે બંધ થઈ ગઈ છે. જ્યારે આ અમલમાં આવે છે, ત્યારે બંને દેશો વચ્ચે જે પણ લડાઈ ચાલતી હોય તે થોડા સમય માટે અથવા કાયમ માટે અટકી જાય છે. તેનો ઉપયોગ સરહદ પર થતા હુમલાઓને રોકવા માટે થાય છે.
જણાવી દઈએ કે, અમેરિકાની મધ્યસ્થી હેઠળ લાંબી વાતચીત બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વીટ કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ચાલી રહી હતી, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ હતી. આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ હતી.