Gujju Bhoomi
ઉનાળાની તીવ્ર ગરમીમાં શરીરને ઠંડક આપવી અગત્યની છે. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં પાણી કે ઠુંડુ પ્રવાહી વધારે પ્રમાણમાં પીવાની સલાહ આપવામાં આવે છે.
વરિયાળીનું શરબત તેના શીતળતાદાયક ગુણધર્મો માટે જાણીતું છે, જે ઉનાળામાં તાજગીભર્યું અનુભવ આપે છે. તમે આ શરબત સરળતાથી ઘરે બનાવી શકો છો.
½ કપ વરિયાળી, ½ ચમચી સંચળ, ¼ ચમચી કાળા મરી પાઉડર, ½ કપ (અથવા સ્વાદ અનુસાર) ખાંડ, ½ ચમચી શેકેલું જીરું પાઉડર, 1 (રસ માટે) લીંબુ, સ્વાદ અનુસાર મીઠું, 4 કપ પાણી
વરિયાળીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પાઉડર બનાવી લો. એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં ખાંડ ઉમેરી ઓગાળી લો, જેથી સરસ ચાસણી બની જાય.
ચાસણીમાં લીંબુનો રસ, સંચળ, મીઠું અને વરિયાળી પાઉડર ઉમેરો. સારી રીતે મિક્સ કરો. હવે તેમાં શેકેલું જીરુ પાઉડર અને કાળા મરી પાઉડર ઉમેરો અને ફરી મિક્સ કરો.
શરબત ઠંડું થવા દો અને પછી તેને ગરણી વડે ગાળી લો. શરબતમાં બરફના ટુકડા ઉમેરો અને ઠંડું-ઠંડું પીરસો.
જો તમને આ લેખમાં આપેલી રેસીપી ગમી હોય તો તેને શેર કરો. આવી વધુ રેસીપી માટે gujjubhoomi.com વાંચતા રહો.