Mumbai-Gandhinagar Vande Bharat: મુસાફરો માટે સારા સમાચાર! મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસમાં કોચની સંખ્યા વધશે

મુંબઈ અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા લોકો માટે એક ખુશીના સમાચાર છે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ચાર વધારાના એસી ચેર કાર કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Published By:

Updated:

Follow Us:

Mumbai-Gandhinagar Vande Bharat Express: મુંબઈ અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા લોકો માટે એક ખુશીના સમાચાર છે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ચાર વધારાના એસી ચેર કાર કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં આ ટ્રેનમાં બે એક્ઝિક્યુટિવ ચેર કાર અને 14 એસી ચેર કાર મળીને કુલ 16 કોચ છે. આ નવા ચાર કોચ ઉમેરાયા બાદ ટ્રેનમાં કુલ કોચની સંખ્યા 20 થશે. જેના પરિણામે ટ્રેનની બેઠક ક્ષમતા હાલની 1,128 થી વધીને 1,440 થશે. આ વધારાથી વધુ મુસાફરો હવે આરામદાયક અને ઝડપી મુસાફરીનો લાભ લઈ શકશે.

રેલ્વેના અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ રૂટ પર મુસાફરોની સતત વધતી જતી સંખ્યા અને ભવિષ્યમાં મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનમાં વધુ બેઠકો ઉપલબ્ધ થવાથી મોટી સંખ્યામાં મુસાફરો માટે ટિકિટ મેળવવી અને મુસાફરી કરવી વધુ સરળ અને સુવિધાજનક બનશે.

વધારાના કોચ ક્યારથી જોડવામાં આવશે તેની કોઈ ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આગામી અઠવાડિયા સુધીમાં આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન 20 કોચ સાથે કાર્યરત થઈ જશે.

હાલની 16 કોચવાળી વંદે ભારત એક્સપ્રેસમાં બે એક્ઝિક્યુટિવ ચેર કાર (EC) છે, જેમાં કુલ 104 બેઠકો છે, અને 14 એસી ચેર કાર (CC) છે, જેમાં કુલ 1,024 બેઠકો છે. આમ, હાલમાં કુલ 1,128 બેઠકો ઉપલબ્ધ છે. ચાર નવા એસી ચેર કાર કોચ ઉમેરાયા બાદ કુલ બેઠક ક્ષમતા વધીને 1,440 થઈ જશે.

પશ્ચિમ રેલ્વેના પીઆરઓ વિનીત અભિષેકે આ અંગે જણાવ્યું હતું કે, “મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસની ભારે માંગ છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે મુસાફરીની સુવિધા વધારવા માટે 20901/02 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસમાં ચાર કોચ ઉમેરવાની યોજના બનાવી રહી છે.”