Gujarat Weather Forecast: ગુજરાતમાં 8 મે સુધી મેઘરાજા કરશે તોફાની બેટિંગ! આજે કચ્છ-બનાસકાંઠામાં કરા સાથે ધોધમાર વરસાદની આગાહી

Gujarat Weather (આજનું હવામાન): ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે.

Published By:

Updated:

Follow Us:

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 8 મે સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગે આજે, 5 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત, કચ્છ, મોરબી, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે. જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની અને મેઘગર્જના થવાની શક્યતા છે.

આગામી તારીખ 6 મેના રોજ પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે કરા પડવાની પ્રબળ શક્યતા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે પવન અને મેઘગર્જનાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 7 મેના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા જિલ્લામાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના અન્ય જિલ્લાઓમાં પણ ભારે મેઘગર્જના થઈ શકે છે.

8 મેના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મેઘગર્જના સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા સહિતના રાજ્યના અન્ય જિલ્લાઓમાં મેઘગર્જનાની સંભાવના છે.

9 મે ના રોજ પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘગર્જનાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi