Gujju Bhoomi
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ બજારમાં કેરી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. કેરી એક ઉનાળુ ફળ છે, જેને દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહથી ખાવાનું પસંદ કરે છે
કેરીમાં વિટામિન એ, સી, ફાઇબર, પોટેશિયમ જેવા તત્વો જોવા મળે છે. પરંતુ કેરી ખાવી કેટલાક લોકો માટે નુકશાનકારક પણ હોઈ શકે છે
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, વધુ પડતી કોઈપણ વસ્તુ નુકસાન પહોંચાડી શકે છે. આ જ વાત કેરી પર પણ લાગુ પડે છે.
ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તેમાં વધુ કુદરતી ખાંડ હોય છે, જે શુગર વધારી શકે છે.
કેરીમાં રહેલા કેટલાક રસાયણો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને ખીલ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
કેરીની તાસીર ગરમ હોય છે. તેને વધુ પડતું ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઝાડાની સમસ્યા હોય તો કેરી ન ખાઓ.
કેરીમાં ઘણા બધા કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ હોય છે, જે તમારું વજન ઝડપથી વધારી શકે છે. તેને વધુ પડતું ખાવાનું ટાળો.
આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. લાઈફસ્ટાઈલ સંબંધિત વધુ અપડેટ્સ માટે gujjubhoomi.com વાંચતા રહો.
આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. લાઈફસ્ટાઈલ સંબંધિત વધુ અપડેટ્સ માટે gujjubhoomi.com વાંચતા રહો.