18 April, 2025
Gujju Bhoomi
ઉનાળો આવતાની સાથે જ લોકો શેરડીનો રસ પીવાનું પસંદ કરે છે. શેરડીનો રસ ગરમીમાં રાહત આપવાની સાથે એનર્જી વધારે છે
શેરડીનો રસ ઉનાળામાં તાજગીનો અનુભવ કરાવે છે અને તેના ઘણા ફાયદા છે, પરંતુ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ તેનાથી બચવું જોઈએ. જાણો.
જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે હોય અથવા હૃદય સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય તેમણે પણ શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ અથવા પહેલા તેમના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
જે લોકોનું બ્લડ સુગર વધી જાય છે. તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. તેમાં ઘણી બધી કુદરતી ખાંડ હોય છે, તે ડાયાબિટીસના દર્દીઓને સમસ્યાઓનું કારણ બની શકે છે.
જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લે છે અથવા લોહી પાતળું થવાની સમસ્યા ધરાવે છે તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ, કારણ કે શેરડીમાં પોલિકોસેનોલ નામનું સંયોજન હોય છે જે લોહીને પાતળું કરે છે.
જે લોકોનું વજન વધારે છે તેમણે પણ શેરડીનો રસ ટાળવો જોઈએ, કારણ કે તેમાં રહેલી ખાંડ વજન વધારી શકે છે.
જે લોકોનું પાચન સારું નથી હોતું અથવા ફૂડ પોઇઝનિંગ ઝડપથી થાય છે તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. ઉલટી કે ઉબકા આવતી હોય તો પણ શેરડીનો રસ ન પીવો.
આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. લાઈફસ્ટાઈલ સંબંધિત વધુ અપડેટ્સ માટે gujjubhoomi.com વાંચતા રહો.
આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. લાઈફસ્ટાઈલ સંબંધિત વધુ અપડેટ્સ માટે gujjubhoomi.com વાંચતા રહો.